ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી

12:32 PM May 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી. અને આસામ સરકાર તરફથી સહાય આપવામાં આવી હતી.

Advertisement

આસામના જળ સંશાધન મંત્રી પિયુષ હજારીકાએવ મૃતક યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર ના પરિવારજનોને તેમના નિવાસસ્થાને જઈ મળ્યા હતા. અને આસામ સરકાર તરફ થી મૃતકોના પરિવારજનોને 5-5 લાખ ની સહાય આપવામાં આવી હતી. અને આસામના મુખ્યમંત્રી નો શોક સંદેશો પણ આપવામાં આવ્યો હતો મૃતકો ના પરિવારજનોએ નોકરી આપવા મંત્રી સમક્ષ કરી રજુઆત હતી.

આસામના જળ સંસાધન મંત્રી પિયુષ હજારીકા ની સાથે શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ અને જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, મેયર ભરતભાઈ બારડ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, કોર્પોરેટર વર્ષાબા પરમાર , પરેશભાઈ પંડ્યા સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
bhavnagarbhavnagar newsgujaratgujarat news
Advertisement
Advertisement