રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ ભાજપ લીગલ સેલના સાત સભ્યોની કારોબારી સમિતિમાં નિમણૂક

06:10 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ એટલે કે 3500 જેટલા વકીલોની સંખ્યા ધરાવતા રાજકોટ શહેરમાં ભાજપ લીગલ સેલની સાત સભ્યોની કારોબારી સમિતિની રાજકોટ બાર એસોસિએશન અને અન્ય એસોસિએશનના વકીલોમાંથી મહદ અંશે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા વકીલની રાજકોટ ભાજપના લીગલ સેલની સંગઠનની ટીમની ઘોષણા કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ લીગલ સેલના ક્ધવીનર અને પિયુષ શાહ અને સહ ક્ધવીનર કમલેશ ડોડીયાના જણાવવા મુજબ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી અને મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, ડો.માધવ દવે અને અશ્વિનભાઈ મોલિયા સાથે ચર્ચા વિચારણા કરી રાજકોટ શહેર ભાજપના લીગલ સેલની એક્ઝિક્યુટિવ કમિટીના સાત સભ્યોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ધર્મેશ સખીયા, વિમલ ડાંગર, વિરેન વ્યાસ, રાકેશ ગોસ્વામી, જનસુખ બારોટ, શૈલેષ વ્યાસ, નેહાબેન જોષીને કારોબારી સભ્યો તરીકે નિમણુંક અપાઈ છે. આ નવનિયુક્ત સભ્યોને શહેર ભાજપ સંગઠનના પ્રભારી પ્રકાશ સોની, રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ પ્રધાન અને રાજકોટના ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સાંસદો મોહનભાઇ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા તેમજ ગુજરાત ભાજપના લીગલ સેલના ક્ધવીનર જે. જે. પટેલ અને સહ ક્ધવીનર અનિલ દેસાઈ સહિતના અગ્રણીઓએ નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotRajkot BJP Legal Cellrajkot news
Advertisement
Next Article
Advertisement