ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

1.44 કરોડના ચેક રિટર્ન કેસમાં 40 ટકા રકમ જમા કરવાનો હુકમ મોડીફાય કરવાની અરજી પાછી ખેંચાઇ

04:05 PM Sep 16, 2025 IST | Bhumika
Advertisement

સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ 1.44 કરોડના ચેક રીર્ટન કેસમાં રાજકોટ ટ્રાયલ કોર્ટે નિખીલ પુજારાને બે-બે વર્ષની કેદ અને 2.88 કરોડનો દંડ ફટકાર્યો હતો. ટ્રાયલ કોર્ટના હુકમ સામે સેશન્સ, હાઇકોર્ટ અને સુપ્રીમમાં કરેલી અપીલો રદ થયા બાદ નિખીલ પુજારા 40 ટકા રકમ જમા કરાવવાનો હાઈકોર્ટનો હુકમ મોડીફાય કરવા હાઇકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચી લીધી છે. આ કેસની હકીકત મુજબ પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવીયાને બેન્કે એકવાયર કરેલ પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવાની લાલચ આપી સિધ્ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા અને અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારાએ રૂૂપિયા દોઢ કરોડ લીધા હતા. વીસ દિવસમાં કામ પૂર્ણ નહિ થતા લક્ષ્મીવિલાસ બેન્કનો બનાવટી લેટર આપી અને લેણી રકમ ચુકવવા ચેકો આપી ફરીયાદી પાસેથી બેન્ક સાથે વ્યવહાર કરવા લીધેલ કોરા સહી સિકકાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ લખી ફોર્જરી આચર્યા સબંધેની રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

Advertisement

આરોપી નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત ચુકવવા આપેલ રૂૂ.72-72 લાખના બે ચેકો રીટર્ન થતા ભરત તળાવીયાએ નિખિલ પુજારા વિરૂૂધ્ધ બંને ચેકો રીટર્ન થયાની બે ફરીયાદ દાખલ કરી હતી. જે કેસો ચાલી જતા રાજકોટ ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવ્યો હતો. જે બંને હુકમો સામેની અપીલ રાજકોટની સેશન્સ કોર્ટે રદ કરી ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખ્યો હતો. નિખિલ પુજારાએ સેશન્સ કોર્ટના બંને હુકમોને હાઈકોર્ટમાં પડકારતા હાઇકોર્ટે અગાઉ ચેકની રકમના 25 ટકા રકમ જમા કરાવેલ ઉપરાંત વધુ 40 ટકા રકમ જમા કરાવવા અને તે ફરીયાદીને આપવા હુકમ કર્યો હતો. જે હુકમને નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો તે પણ નામંજુર થતા ચેકની રકમના 40 ટકા રકમ જમા કરાવવાના હાઈકોર્ટના હુકમમાં ઘટાડો કરવા મોડીફાય કરી આપવા અરજી કરી હતી. હાઈકોર્ટ આરોપીની અરજી હેઠળ કોઈ હુકમ ફરમાવે તે પહેલા જ આરોપીએ બંને અપીલના કામે ચેકની રકમના 40 ટકા રકમ જમા કરાવવાના હુકમમાં મોડીફાય કરી રકમ ઘટાડી આપવા કરેલી અરજીઓ પરત ખેંચી લીધી હતી.

આ કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ અને હાઈકોર્ટના આશીષ ડગલી રોકાયા હતા.

Tags :
cheque return casegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement