ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મહાકુંભમાં સ્નાન માટે ગયેલા વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મૃત્યુ

03:46 PM Feb 12, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

મહાકુંભ દરમિયાન સંગમ કિનારે થયેલ નાસભાગની ઘટનામાં 30 લોકોના મોતની ઘટના બની હતી, જેમાં એક ગુજરાતનું મોત થયું હતું. ત્યારે ફરી એકવાર કુંભ મેળામાં સ્નાન કરવા ગયેલા વાંસદાના યુવકનું મોત થયું છે. વાંસદા તાલુકાના રાણી ફળિયામાં રહેતા 35 વર્ષીય યુવકનું પ્રયાગરાજમાં કુંભ મેળામાં મોત થયું છે. સ્નાન કરવા ગયેલા યુવકને અચાનક ચક્કર આવતા ઢળી પડ્યો અને ત્યારબાદ મોત થયાના એહેવાલો મળ્યા છે.

નવસારીના વાંસદાથી 35 વર્ષીય વિવેક પટેલ નામનો યુવક કુંભમાં સંગમ ઘાટમાં સ્નાન કરવા ગયો હતો, જો કે આ સમયે યુવકને ચક્કર આવતા તે અચાનક જ ઢળી પડ્યો હતો. ઘટના બાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મૃતદેહને વતન લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યુવકનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોવાની આશંકા સેવાઇ રહી છે.

 

 

 

 

Tags :
gujaratgujarat newsindiaindia newsMahakumbhMahakumbh 2025
Advertisement
Next Article
Advertisement