મોરબીના રવાપર સર્કલથી દલવાડી સર્કલ સુધી રોડ પર પથરાયા અંજવાળા
મોરબીના રવાપર ચોકડી થી દલવાડી ચોકડી સુધી આજથી 8 થી 10 મહિના પહેલા લાખો રૂૂપિયાના ખર્ચે સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી શરૂૂ કરી હતી. થોડા જ દિવસોમાં સ્ટ્રીટ લાઈટ ના પોલ ઉભા પણ કરી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલાય મહિનાઓ વીતવા છતાં તે પોલ પર સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી નહોતી ત્યારે આ બાબત ગુજરાત મીરર ન્યૂઝના ધ્યાનમાં આવતા હર હંમેશ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા અને પ્રજાના પ્રશ્નોને બે ખૌફ સરકાર સમક્ષ રજૂ કરતાં ગુજરાત મીરર ન્યૂઝ દ્વારા મોરબીના રવાપર સર્કલ થી દલવાડી સર્કલ સુધી વીજ પોલ કેમ સ્ટ્રીટ લાઈટ ફિટ કરવામાં નથી તે બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્ર દોડતું થયું હતું અને માત્ર દશ જ દિવસોમાં રવાપર સર્કલ થી દલવાડી સર્કલ સુધી વીજ પોલ પર સ્ટ્રીટ લાઈટ ફિટ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે રાત્રીના સમયે જે વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમાથી મુક્તી મળી છે અને રવાપર સર્કલ થી દલવાડી સર્કલ સુધી રોડ પર ગુજરાત મીરરની ધારદાર અસરના કારણે અંજવાળા પથરાયા છે.