રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટના હડાળામાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત

12:08 PM Mar 04, 2024 IST | admin
Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાથી અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના હડાળામાં નથવાણી પરિવાર આશ્રમમાં આશ્રય લઈ રહેલા વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

સ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના હડાળા ગામે આવેલા નથવાણી પરિવાર આશ્રમમાં આશ્રય લઈ રહેલા અમદાવાદ પંથકના નરેન્દ્રભાઈ રમણભાઈ શાહ નામના 69 વર્ષના વૃદ્ધ આશ્રમમાં હતા ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેમને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક નરેન્દ્રભાઈ શાહ મૂળ અમદાવાદ પંથકના વતની હતા અને છેલ્લા એકાદ વર્ષથી હડાળા ગામે નથવાણી પરિવાર આશ્રમમાં દંપતી આશ્રય લઈ રહ્યા હતા અને નરેન્દ્રભાઈ શાહનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement