શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર
02:12 PM Jul 28, 2025 IST | Bhumika
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવાર ના રાત્રી ના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત સોમનાથ મંદિર તરફ લોકો આવી રહેલ હતા અને વહેલી સવારે 4 કલાકે મંદિર ખુલતા ની સાથે મહાદેવ ના દર્શને માટે લોકો ની લાંબી લાંબી કતારો જોવા મળેલ મંદિરની અંદર અને મંદિર પરિસરમાં તેમજ મંદિર ની બહાર પણ જ્યાં જુવો ત્યાં લોકો નજરે પડતાં હતાં અમુક યાત્રિકો ગંગા જળ સાથે કાવડ સાથે પણ પધારેલ હતા સોમનાથ મહાદેવ ને વહેલી સવારે પુષ્પો અને બિલ્લી પત્રનો દિવ્ય શ્રૃંગાર કરવામાં આવેલ અને 8,30 કલાકે પાલખી પૂજન સાથે ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવેલ જે ભગવાન ભોળાનાથ મંદિર પરિસરમાં નગરચર્યાએ નિકળ્યા હતા. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
Advertisement
Advertisement