For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથ તીર્થમાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહાસાગર

11:31 AM Mar 08, 2024 IST | Bhumika
સોમનાથ તીર્થમાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહાસાગર

દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા ઉમટી પડ્યા હતાં. આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ શ્રી સોમનાથ તીર્થમાં ઉમટ્યો હતો. શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ,પીતાંબર,પુષ્પ, બિલ્વપત્રનો મનમોહક શૃંગાર કરવામાં આવેલ.દર્શનાર્થીઓએ
શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી,આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી. (તસ્વીર દેવાભાઈ રાઠોડ)

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement