રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આઠ વર્ષના બાળકને ચીભડા લેતી વેળા વીજ આંચકો લાગતાં મોત

11:50 AM Oct 05, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સીદસર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા પર પ્રાંતિય શ્રમિક પરિવારના આઠ વર્ષના બાળકને વાડીમાં ચીભડા ઉતારવા જતાં વીજ આંચકો લાગવાથી તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગતો એવી છે કે મૂળ મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ના વતની અને હાલ જામજોધપુર તાલુકાના સીદસર ગામના હરિસિંહ વાળા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દિનેશભાઈ રાયસીંગભાઇ આદિવાસી શ્રમિક ના 7 વર્ષના પુત્ર અમલ (7),કે જે ગઈકાલે વાડીમાં ચીભડા લેવા માટે ગયો હતો, જે દરમિયાન તેને પાણીની કુંડી પાસે ઇલેક્ટ્રિક સ્ટાર્ટર માંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતક ના પિતા દિનેશભાઈ એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
child deathgujaratgujarat newsJamjodhpur
Advertisement
Next Article
Advertisement