ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વકીલ મંડળની ઓફિસમાં કોબ્રા સર્પે દેખા દેતા વકીલોમાં ભયનું વાતાવરણ

12:24 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

જામનગર વકીલ મંડળમાં આજે બનેલી ઘટનાએ વકીલોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. જુના વકીલ મંડળમાં બપોરે એક કાળો કોબ્રા સાપ નીકળ્યો હતો, જે વકીલોના બેસવાના સ્થળની નજીકથી પસાર થયો હતો. આ ઘટના બાદ વકીલોમાં નાસભાગ મચી ગઈ હતી અને સાપ લાકડાના ડાયસની નીચેના પોલાણમાં જતો રહ્યો હતો. તાત્કાલિક સાપ પકડનારાઓને બોલાવવામાં આવ્યા હતા અને પોલીસ તથા વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. પરંતુ સાંકડા વિસ્તારમાંથી સાપને બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો.

Advertisement

જામનગર વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવાએ વકીલોને સૂચના આપી છે કે જ્યાં સુધી સાપને પકડીને બહાર ન કાઢવામાં આવે ત્યાં સુધી વકીલ મંડળમાં પ્રવેશ કરવો નહીં. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ વકીલ આ સૂચનાનું ઉલ્લંઘન કરશે તો તેના પરિણામો માટે વકીલ મંડળ જવાબદાર રહેશે નહીં.

સાપને પકડવાની કામગીરી ચાલુ છે અને સફળતા મળતાં જ વકીલોને જાણ કરવામાં આવશે. સાથે જોડાયેલી તસવીરમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે કે સાપ ખૂબ જ ઝેરી કોબ્રા પ્રજાતિનો છે. વકીલ મંડળના તમામ સભ્યોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. આ ઘટનાએ વકીલોમાં ભારે ભય અને ચિંતા ફેલાવી છે અને તેઓ સાપને પકડીને બહાર કાઢવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી આશા રાખે છે.

Tags :
gujaratgujarat newsjamnagarLawyers
Advertisement
Next Article
Advertisement