રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વિધાનસભા સત્ર બંધ રાખી તમામ ધારાસભ્યો અંબાજી દર્શન માટે જશે

01:09 PM Feb 14, 2024 IST | Bhumika
Advertisement

તા.15મીએ ચાર વોલ્વો બસમાં પ્રસ્થાન કરશે, અંબાજી ટેમ્પલ દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ

Advertisement

હાલમાં અંબાજી સ્થિત પરિક્રમા ખાતે પાંચ દિવસીય ઉત્સવ અને પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઇ મોટી સંખ્યામાં માતાના ભક્તો અંબાજી અને ગબ્બરના દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન ભાજપ-કોંગ્રેસના તમામ ધારાસભ્યો 15મી ફેબ્રુઆરીએ મા અંબાના દર્શન કરવા વિધાનસભા પહોંચશે. જે માટેની વ્યવસ્થા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવી છે.આગામી 15મી ફેબ્રુઆરી માટે બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રાજ્ય કેબિનેટ 15મી ફેબ્રુઆરીએ અંબાના દર્શન કરવા આવશે, જ્યારે વિધાનસભાના તમામ ધારાસભ્યો અંબાજીના દર્શન કરવા જશે, જ્યારે સત્ર 15મી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

ગુજરાતના તમામ ધારાસભ્યો માટે ચાર વોલ્વો બસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 15મી ફેબ્રુઆરીએ બપોરે તમામ ધારાસભ્યો અંબાજી જવા રવાના થશે. આ સાથે તમામ ધારાસભ્યો સાંજની આરતી અને રાત્રિનો પ્રસાદ ગ્રહણ કરશે અને મા અંબાના આશીર્વાદ લેશે. ઉલ્લેખનીય છે કે અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પાંચ દિવસીય કાર્યક્રમો દરમિયાન દરરોજ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્રમા મહોત્સવ મહોત્સવમાં આનંદ ગરબા મંડળ દ્વારા અખંડ ગરબાની ધૂન રજૂ કરવામાં આવી રહી છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. ત્યારે આ મહોત્સવના પ્રથમ દિવસે અંદાજે 2.10 લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લા સહિત 5 જિલ્લામાંથી 750 બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે પરિક્રમા મહોત્સવમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવમાં આરોગ્ય, નાસ્તો અને પાણી, મફત બસ અને મફત ભોજન સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. પરિક્રમા પથના વિવિધ પરિસરમાં દરરોજ શક્તિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Tags :
ambajiAmbaji NEWSgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement