કુબલિયાપરામાં દારૂની કુટેવ ધરાવતાં પ્રૌઢ રાત્રે સુતા બાદ સવારે ન ઉઠયા
શહેરના કુબલીયાપરામાં રહેતા અને દારૂની કુટેવ ધરાવતાં પ્રૌઢ રાત્રે સુતા બાદ સવારે ઉઠતા ન હોવાથી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મોત નિપજ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, કુબલીયાપરા શેરી નં.5માં રહેતા પ્રદીપભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.57) નામના પ્રૌઢ આજે સવારે ઘરે બેભાન અવસ્થામાં હોય તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી થોરાળા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રદીપભાઈ સાત ભાઈ ત્રણ બહેનમાં નાના અને છુટક મજુરી કરતાં હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. મૃતક પ્રદીપભાઈને દારૂ પીવાની કુટેવ હતી. તેઓ રાત્રે સુતા બાદ સવારે ઉઠયા ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.