રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વડાળી ગામે કોલેજિયન છાત્રના આપઘાત બાદ પિતરાઈ બહેને જીવન ટૂંકાવી લીધું

04:45 PM Aug 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

યુવાને આપઘાત કર્યાના સમાચાર મળતાં જ યુવતીએ હાથ-ગરદન પર છરીથી કાપા મારી દવા પી લીધી

ત્રંબાના વડાળી ગામે બે દિવસ પહેલા કોલેજીયન છાત્રએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઇ હતી. દરમિયાન આ ગામના જ એક યુવતિએ બે દિવસ પહેલા પોતાના હાથ અને ગરદન પર છરીથી છરકા કરી લઇ તેમજ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ વડાળી ગામે રહેતાં સપનાબા જનકસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવતિએ ગત 18/8ના સાંજે આઠેક વાગ્યે પોતાના ઘરે પોતાની જાતે છરીથી બંને હાથના કાંડા પર અને ગરદન પર છરીથી છરકા મારી દેતાં અને ઘઉમાં રાખવાની સેલ્ફોસ દવાની ટીકડઓ પણ પી લેતાં તેણીને વિદ્યાનગર રોડ પરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમના સગા તેજપાલસિંહ જાડેજાએ જે તેવ ખતે આ વાત હોસ્પિટલના તબિબને કરી હતી.સારવાર દરમિયાન ગત મોડી રાતે સપનાબાનું મૃત્યુ નિપજતાં આ અંગે ડોક્ટર તરફથી આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. એચ.આર. સોલંકીએ પ્રાથમિક કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.ઉલ્લેખનિય છે કે,18મીએ સાંજે છએક વાગ્યે વડાળીના દેવદિપસિંહ વિરદેવસિંહ જાડેજા નામના ઓગણસી વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તેમાં કારણ બહાર આવ્યું નહોતું. એ દિવસે સાંજે જ આઠેક વાગ્યે પિતરાઇ બહેન સપનાબાએ પગલુ ભર્યુ હતું. તેમનું સારવાર દરમિયાન ગત મોડી રાતે મૃત્યુ થયું છે.

Tags :
gujaratgujarat newssuicideTramba
Advertisement
Next Article
Advertisement