For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત

04:52 PM Oct 18, 2024 IST | Bhumika
સંતકબીર રોડ પર જિંદગીથી કંટાળી શ્રમિક યુવાનનો આપઘાત
Advertisement

શહેરના સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાને જીંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ રાજકોટમાં સંતકબીર રોડ પર ત્રિવેણી ગેઈટ પાસે કારખાનામાં રહેતા સચીનસિંહ વિશ્ર્વનાથસિંહ વિલાસપુરીયા (ઉ.વ.25) નામના યુવાને પોતાની ઓરડીમાં પતરાની આડ સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નિપજ્યું હતું. આ અંગે બી ડિવિજન પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો હતો જીંદગીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement