For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોહી નીંગળતી રજૂઆત બાદ તંત્ર ન જાગતા જાગૃત નાગરિકે જીવલેણ ખાડા બુર્યા

06:14 PM Feb 02, 2024 IST | Bhumika
લોહી નીંગળતી રજૂઆત બાદ તંત્ર ન જાગતા જાગૃત નાગરિકે જીવલેણ ખાડા બુર્યા

સંતકબીર રોડ પર તાજેતરમાં જ ખાડાના કારણે અકસ્માતની ઘટનામાં પિતા-પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તેઓને સાચી શ્રદ્ધાજંલિ પાઠવવા માટે જાગૃત નાગરિકોએ ખાડા બુરવાની કામગીરી હતી.અગાઉ સામાજિક કાર્યકાર કાનાભાઈ કુબાવતે લોહી વહાવી રજૂઆત કરી હતી.તેમજ જાગૃત નાગરિકની ટીમે ખાડા બુરવાની કામગીરી કર્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીને પોતાની લાપરવાહીનું ભાન થતાં ત્વરિત કર્મચારીઓને દોડાવી સ્થળ પર ખાડામાં પેવિગ બ્લોક નખાવી ખાડા બુરવાની કામગીરી કરી હતી.ઉલ્લેખનીય છે કે,આ યુવાનોએ ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ પંપ પાસે ખાડા બુરવાની કામગીરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement