For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના વિલંબથી આરોપીના જામીન રદ કરવા અયોગ્ય: હાઇકોર્ટ

04:23 PM Jul 25, 2024 IST | Bhumika
પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના વિલંબથી આરોપીના જામીન રદ કરવા અયોગ્ય  હાઇકોર્ટ
Advertisement

આરોપીએ પડકારેલા નીચલી કોર્ટના હુકમને રદ કરી આરોપીએ જમા કરેલા રૂપિયા એક લાખ પરત કરવા હુકમ

જામીન આપતી વખતે મૂકવામાં આવતી શરતોના ભંગ બદલ જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને પડકારતી અરજીમાં હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને અવલોકન કર્યું છે કે, આરોપીએ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની શરત માનવાધિકારનો ભંગ કરી શકે અને ખોટા આરોપો તરફ દોરી શકે છે. પ્રસ્તુત કેસના અરજદાર ’હજ’ માટે ગયા હોવાની બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી હતી અને તેમના જામીન રદ કરવાના નીચલી કોર્ટના આદેશને રદ કર્યો હતો અને સાથે જ તેમણે જમા કરાવેલા એક લાખ રૂપિયાને જમા કરી લેવાના આદેશને પણ રદ કરી એક લાખ પરત કરવાનો હુકમ કર્યો છે.

Advertisement

હાઇકોર્ટના જસ્ટિસ ગીતાબહેન ગોપીએ આદેશમાં નોંધ્યું છે કે, ‘પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો ઘણી વાર અનેક તકરારોને આમંત્રિત કરી શકે, જે માનવ અધિકારોના દુરૂૂપયોગ તરફ પણ આગળ વધી શકે છે અને ખોટા આરોપોને જન્મ આપી શકે છે. ઘણી વખત કોર્ટ સમક્ષ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ થતાં નથી અને તેના પરિણામે આવી ઘટનાઓમાં દાવાઓ અને પ્રતિ દાવાઓની પ્રામાણિક્તા વિશેના પાસાની ચકાસણી મુશ્કેલ બની જાય છે.!

મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી રિવિઝન અરજીની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે આ અવલોકન કર્યું હતું, જે આદેશમાં અરજદારના જામીન રદ કરવામાં આવ્યા હતા. આ કેસમાં તપાસ અધિકારીએ જામીનની શરતના ભંગની જાણ કર્યા પછી જામીન રદ કરવામાં આવ્યા હતા. જેમાં અરજદારે ચોક્કસ દિવસે પોલીસ સ્ટેશનમાં તેની હાજરી આપવાની શરત મૂકવામાં આવી હતી. અરજદારે દાવો કર્યો હતો કે, તેણે પોતાની હાજરી આપવામાં થોડું મોડું કર્યું હતું. કારણ કે, તેણે કોઈની અંતિમ વિધિમાં હાજરી આપવાની હતી. તેણે દાવો કર્યો હતો કે, તે જ દિવસે તે પોલીસ સ્ટેશનની મુલાકાતે થોડો મોડો આવ્યો હતો, પરંતુ 10એ જણાવ્યું કે, રિપોર્ટિંગનો સમય વીતી ગયો છે અને તેમની હાજરી સત્તાવાર રીતે નોંધવામાં આવી નથી.

આ કેસમાં કોર્ટ સમક્ષ થયેલી રજૂઆતો અને કેસના રેકોર્ડની સમીક્ષા કર્યા પછી, કોર્ટે અવલોકન કર્યું હતું કે, ગુનાની ગંભીરતા, પુરાવા, કેસના સંજોગો, આરોપી ન્યાયથી ભાગી જવાની સંભાવના સહિતના વિવિધ પરિબળોને ધ્યાનમાં લીધા પછી અરજદારને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ’ઉપરની તમામ હકીકતો ધ્યાનમાં લીધા પછી, મંજૂર કરાયેલા જામીન યાંત્રિક રીતે રદ ન કરવા જોઈએ, સિવાય કે જ્યાં સુધી કોઈ ખાસ સંજોગો કોર્ટના ધ્યાન પર ન આવે.’

આરોપીને તેમની જરૂૂરી હાજરીના સમય અંગે તપાસ અધિકારી પાસેથી નમ્રતાની વિનંતી કરવાનો અષિકાર છે તેમ જણાવતાં કોર્ટે નોંધ્યું હતું કે, ’શરત મૂકવાનો એકમાત્ર હેતુ તે તારીખે હાજરીની નોંધ લેવાનો છે. આવા ચોક્કસ આદેશ એમ નથી સૂચવતા કે તપાસ અધિકારી હાજરી નોંધવા માટેનો સમય અથવા તારીખ હળવી કરી શક્તા નથી. અધિકારી સંબંધિત કોર્ટ સમક્ષ આરોપીની અસુવિધા અંગે જાણ કરી શકે છે અને કોર્ટે તેને ધ્યાનમાં લેવું જોઈએ. જોકે, આરોપીએ સમયસર હાજરી આપી ન હોવાની બાબતને વિશિષ્ટ સંજોગો તરીકે ગણીને જામીન રદ કરી શકાય નહીં. તપાસ અધિકારી સમક્ષ નિયમિત હાજરીની આવશ્યક્તા ધરાવતી શરતો બિનજરૂૂરી ઘર્ષણમાં પરિણમી શકે છે અને સંભવત: અધિકારીને કોર્ટના આદેશને નબળી પાડવા સક્ષમ બનાવે છે, ખાસ કરીને આ કિસ્સામાં જ્યાં અરજદારને ‘હજ’માં જવાની પરવાનગી આપવામાં આવી હતી. પરિણામે નીચલી કોર્ટના આદેશને અન્યાયી, ગેરકાયદેસર અને અયોગ્ય ગણવામાં આવે છે અને જામીન રદ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement