For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એસટીના વિવિધ પ્રશ્ર્નોના મુદ્દે એ.બી.વી.પી.નું વિરોધ પ્રદર્શન

11:56 AM Oct 05, 2024 IST | Bhumika
એસટીના વિવિધ પ્રશ્ર્નોના મુદ્દે એ બી વી પી નું વિરોધ પ્રદર્શન
Advertisement

જામનગરની આસપાસનાં વિવિધ ગામોમાંથી આવતાં વિવિધ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ, કે જેઓ એસ.ટી. બસ દ્વારા આવે છે, તેમને પૂરતી સગવડો મળતી નથી. એક્સપ્રેસ બસો જ્યાં સ્ટોપ હોય તેવા સ્ટોપ પર પણ ઉભી રહેતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ અગવડ પડે છે. સ્કૂલ અને કોલેજમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થાય છે.
ઉપરાંત નિર્ધારિત સમય કરતાં બસ ખૂબ મોડી આવે છે. જેથી સમયસર પહોંચવામાં અડચણ ઉભી થાય છે. અમુક બસ કોઈપણ પ્રકારની સૂચના કે અગાઉ જાણકારી આપ્યા વિના રદ કરવામાં આવે છે. તે રૂૂટ પર બસ અમુક દિવસો એ દોડતી નથી. આવી ઘટના લગભગ મહિનામાં સાત થી આઠ વખત થાય છે.જે પ્રશ્નોનું નિરાકરણ 8 દિવસ અંતર્ગત કરવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement