અબ કી બાર સરહદ કે પાર... પરશુરામ શોભાયાત્રામાં ગુંજ્યો નાદ
03:23 PM Apr 30, 2025 IST | Bhumika
રાજકોટ શહેરમાં ગઇકાલે પરશુરામ જયંતિ નિમિત્તે ભગવાન શ્રી પરશુરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિવિધ ફલોટ્સ અને ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રા શહેરમાં નિયત રૂટ ઉપર ફરી હતી તે દરમિયાન ઠેર - ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ બનેલા હિંદુઓને પણ શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને 1008 ભૂદેવોએ રકત તિલક સાથે વડાપ્રધાનને આવેદનપત્ર મોકલી આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માંગણી કરી હતી. શોભાયાત્રામાં ‘અબ કી બાર સરહદ કે પાર’ નો ફલોટ પણ આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો.
Advertisement
Advertisement