રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોધિકાના ખાંભા પાસે મજૂર ભરેલી માલવાહક ગાડી પલ્ટી જતાં ઘવાયેલા યુવકે દમ તોડયો

12:22 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટના હોડથલી ગામથી બે દિવસ પૂર્વે માલવાહક ગાડીમાં બેસી શ્રમિકો કંપનીમાં કામે જઈ રહ્યા હતા ત્યારે ખાંભા અને માખાવડ ગામ વચ્ચે માલવાહક ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા દસ જેટલા મજૂરોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવાનનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના હોલીથડ ગામે રહેતા પ્રવીણ ભગવાનજીભાઈ જાદવ નામનો 23 વર્ષનો યુવાન ત્રણ દિવસ પૂર્વે સવારના સાડા આઠેક વાગ્યાના અરસામાં લાલભાઈ ભરવાડની માલવાહક ગાડીમાં બેસીને જઈ રહ્યો હતો ત્યારે ખાંભા અને માખાવડ ગામની વચ્ચે માલવાહક ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રવીણભાઈ જાદવને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાનગી અને અમદાવાદ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રવીણભાઈ જાદવ સહિતના હોલીથડ ગામના યુવાનો હરીપર તલાવડા ગામે આવેલી સિલ્વર કંપનીમાં કામે જતા હતા અને દરરોજ મજૂરોને લેવા મૂકવા જતી ગાડીના ચાલકને પ્રસંગમાં જવાનું હોવાથી લાલાભાઇ ભરવાડની માલવાહક ગાડીમાં બધા મજૂરો કંપનીમાં કામે જઈ રહ્યા હતા ત્યારે માલવાહક ગાડી પલટી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં પ્રવીણભાઈ જાદવનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય મજૂરોને સામાન્ય ઇજા પહોંચી હતી મૃતક પ્રવીણભાઈ જાદવ એક ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement