રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામજોધપુરના તરસાઈ ગામના યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત

12:39 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બીમારીથી કંટાળી ભર્યું પગલું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા એક યુવાને પોતાની જીભની કેન્સરની બીમારીના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી દીધી છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ ચાવડા નામના 48 વર્ષના યુવાને ગઈકાલે તરસાઈ ગામના રેલ્વે સ્ટેશન પર ટ્રેન ના એન્જિન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.

જે બનાવ અંગે મૃતકના સંબંધી ભુરાભાઈ શામજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન છેલ્લા ચારેક વર્ષથી જીભના કેન્સરની બીમારીથી પીડાતો હતો, જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

Tags :
gujaratgujarat newsJamjodhpursuicide
Advertisement
Next Article
Advertisement