જામજોધપુરના તરસાઈ ગામના યુવાનનો ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
12:39 PM Sep 09, 2024 IST | Bhumika
Advertisement
બીમારીથી કંટાળી ભર્યું પગલું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા એક યુવાને પોતાની જીભની કેન્સરની બીમારીના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી દીધી છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં રહેતા કાનજીભાઈ શામજીભાઈ ચાવડા નામના 48 વર્ષના યુવાને ગઈકાલે તરસાઈ ગામના રેલ્વે સ્ટેશન પર ટ્રેન ના એન્જિન હેઠળ પડતું મૂકી દઇ આત્મહત્યા કરી લીધી છે.
Advertisement
જે બનાવ અંગે મૃતકના સંબંધી ભુરાભાઈ શામજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન છેલ્લા ચારેક વર્ષથી જીભના કેન્સરની બીમારીથી પીડાતો હતો, જેનાથી તંગ આવી જઇ આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.
Advertisement