ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બાપુનગરમાં પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો

06:00 PM May 05, 2025 IST | Bhumika
oplus_2097184
Advertisement

ઉનાળાના આકરા તડકા વચ્ચે પણ રોગચાળો બેકાબુ બની રહયો તેમ તાવ, મેલેરીયા સહિતના કેસોનું પ્રમાણ વધી રહયું છે. ત્યારે શહેરમાં બાપુનગરમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનને તાવ ભરખી જતા તેનુ મોત નીપજ્યુ હતુ.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ મુળ બિહારના અને હાલ રાજકોટમાં જિલ્લા ગાર્ડન રોડ પર આવેલા બાપુનગર શેરી નં.4માં ક્રિષ્ના કાસ્ટીંગ નામના કારખાનામાં કામ કરતા વિકાસ અનીરૂદ્ધભાઇ મંડલ (ઉ.વ.41)નામના યુવાનને બે દિવસથી તાવ આવતો હોય સ્થાનિક કિલનીકમાંથી દવા લીધી હતી. જો કે, આજે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભકિતનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે બાઇ બે બહેનમાં નાના અને તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તાવથી યુવાનનું મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement