For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કરિયાણાની દુકાને ખરીદી કરવા ગયેલ તરુણને વીજ આંચકો લાગતાં મોત

11:51 AM Oct 09, 2024 IST | admin
કરિયાણાની દુકાને ખરીદી કરવા ગયેલ તરુણને વીજ આંચકો લાગતાં મોત

લાલપુર બાયપાસ નજીક બનાવ બન્યો

Advertisement

જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતા 15 વર્ષના તરુણ ને કરિયાણાની દુકાને અનાજ લેવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું કરુણ મૃત્યુ નીપજયું છે. જેથી પરિવારમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોન્ટુ વિવેકભાઈ નામના 15 વર્ષના તરુણને નજીકમાં આવેલી એક અનાજ કરિયાણા ની દુકાને અનાજ ખરીદી કરવા જતી વેળાએ વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં લઈ જવાયાકબાદ ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે ની જાણ થતાં મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડતી થઈ છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement