For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘર પાસે ઝઘડો થયા બાદ ચા પીવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત : હત્યાનો આક્ષેપ

05:21 PM Feb 22, 2024 IST | Bhumika
ઘર પાસે ઝઘડો થયા બાદ ચા પીવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત   હત્યાનો આક્ષેપ

રાજકોટમાં ખીજડાવાળા રોડ ઉપર આવેલા ચામુડાનગરમાં રહેતો યુવાન ઘર પાસે ઝઘડો કર્યા બાદ પોતાનું બાઈક લઈને ચા પીવા જઈ રહ્યો હતો ત્યારે ખીજડાવાળા રોડ ઉપર બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું.

Advertisement

પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો યુવકના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ખીજડાવાળા રોડ ઉપર આવેલા ચામુંડાનગરમાં રહેતા કેતન વિનોદભાઈ રાઠોડ નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ખીજડાવાળા મેઈન રોડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કેતનભાઇ રાઠોડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કેતન રાઠોડ બે ભાઈમાં નાનો અને સેન્ટીંગ કામ કરતો હતો. કેતન રાઠોડ ઘર પાસે ઝઘડો થયા બાદ મોડી રાત્રે બાઈક લઈને ચા પીવા નીકળ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે મૃતક કેતન રાઠોડના પરિવારે હત્યાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પોલીસે આક્ષેપના પગલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement