For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે દિવસથી ઘરેથી નીકળી ગયેલા યુવાનનું પરાપીપળિયા પાસે ટ્રેનની ઠોકરે મોત

04:40 PM Aug 06, 2024 IST | Bhumika
બે દિવસથી ઘરેથી નીકળી ગયેલા યુવાનનું પરાપીપળિયા પાસે ટ્રેનની ઠોકરે મોત
Advertisement

શહેરના મોરબી રોડ પર રહેતો યુવાન બે દિવસથી ઘરેથી નીકળી ગયો હતો. જેનું જામનગર રોડ પર પરા પીપળીયા પાસે ટેનની ઠોકરે ચડી જતા મોત નીપજ્યું છે. આ બનાવ અકસ્માતનો કે આપઘાત? તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર સાગર પાર્ક શેરી નં.4માં રહેતો ભુપત નરશીભાઇ જીંજુવાડીયા (ઉ.વ.41)નામનો યુવાન આજે વહેલી સવારે જામનગર રોડ પર પરા પીપળીયા ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇ જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવથી જાણ થતાં રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્5િટલમાં ખસેડાયો હતો.પ્રાથમિક તપાસમાં મૃતક ચારભાઇ ચાર બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં મૃતક દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય અવાર-નવાર ઘરેથી નીકળી જતો હતો.

Advertisement

આ વખતે બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા બાદ આજે પરાપીપળીયા પાસે ટે્રનની ઠોકરી મોત નીપજ્યું હતું. જેથી પોલીસે આપઘાત કે અકસ્માત? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement