ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો

01:05 PM Aug 08, 2025 IST | Bhumika
Advertisement

વાંકાનેરમાં બીડી સળગાવતા અકસ્માતે ગોદડુ સળગી જતાં વૃધ્ધ દાઝયા

Advertisement

મોરબીમાં શનાળા રોડ પર રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબીમાં શનાળા રોડ પર રહેતાં નિખીલ મથુરભાઈ ભાલીયા નામનો 28 વર્ષનો યુવાન બે દિલસ પહેલા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

મૃતક યુવાન એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે.બીજા બનાવમાં વાંકાનેરમાં આવેલા શક્તિપરા વિસ્તારમાં રહેતાં આશુભાઈ સામતભાઈ રાઠોડ (ઉ.80) ત્રણ દિવસ પૂર્વે રાત્રીનાં સમયે ખાટલામાં સુતાં હતાં ત્યારે બીડી સળગાવતા તિખારો ઉંડીને ગોદડા ઉપર પડતાં ગોદડું સળગ્યું હતું. જેમાં આશુભાઈ રાઠોડ પણ દાઝી જતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi newssuicide
Advertisement
Next Article
Advertisement