ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મવડીના યુવાને નાના ભાઇની બીમારીની ચિંતામાં ઝેરી દવા પીધું

04:24 PM Mar 03, 2025 IST | Bhumika
Advertisement

શહેરમાં મવડીમાં આવેલ મુરલીધર શેરી-2માં રહેતી પરિણીતાએ નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલ મુરલીધર શેરી નં.2માં રહેતી શિવાંગીબેન મયુરભાઈ રુડકીયા નામની 32 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે નાના ભાઈની બીમારીની ચિંતામાં ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં જુદા જુદા ચાર સ્થળે ચાર લોકોના બેભાન હાલતમાં મોત નિપજ્યા છે. જેમાં નારાયણનગરમાં રહેતા નરેન્દ્રભાઈ શિવાભાઈ સોલંકી (ઉ.વ.37), શક્તિ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ નટવરલાલ સંચાણીયા (ઉ.વ.49) રેલવે સ્ટેશન અંદર પ્લેટફોર્મ નંબર એક ઉપર અજાણ્યો યુવાન અને ભગવતીપરામાં રહેતા મનિષાદે ઉર્ફે ભીમાભાઈ સોલંકી (ઉ.વ.40)નું બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement