For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કલ્યાણપુરના ખાખરડાના યુવાનને હાર્ટએટેક આવતા ઢળી પડ્યો : મોત

11:53 AM Oct 18, 2024 IST | Bhumika
કલ્યાણપુરના ખાખરડાના યુવાનને હાર્ટએટેક આવતા ઢળી પડ્યો   મોત
Advertisement

કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા હિતેન્દ્રસિંહ જુવાનસિંહ જાડેજા નામના 48 વર્ષના યુવાનને છેલ્લા આશરે 15 વર્ષથી દારૂૂ પીવાની ટેવ હોય, તે દરમિયાન બુધવારે રાત્રિના સમયે તેઓ જુના બંધ મકાનમાં સુઈ ગયા બાદ તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઉપરોક્ત બનાવની જાણ હાલ જામનગરમાં રહેતા અને મૂળ ખાખરડાના વતની અજયસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ. 27) એ કલ્યાણપુર પોલીસને કરી છે.

દ્વારકાના યુવાન ઉપર હુમલો
દ્વારકા તાબેના વસઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા હમીરભાઈ બજલભાઈ ચાનપા નામના 25 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન અન્ય વ્યક્તિ સાથે વરવાળા ખાતે તેમના મિત્રના ગેરેજે બેઠા હતા. ત્યારે ઓટો રિક્ષામાં આવેલા શિવરાજપુર ખાતે રહેતા આરોપી કિશનભા કારાભા ચમડીયા, કરણભા કારાભા ચમડીયા તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે બોલાચાલી કરીને બિભત્સ ગાળો કાઢી, લાતો વડે માર મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તેમજ જ્ઞાતિ પ્રતિ અપમાનિત કરી જો તે પોલીસ કેસ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે બે અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે એટ્રોસીટી એક્ટ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

ખંભાળિયામાં પરિણીતાને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ
ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં રહેતા મહેશભાઈ રાણાભાઈ રાઠોડ નામના 30 વર્ષના શખ્સ દ્વારા પોતાના પત્ની રેખાબેનને તેમના લગ્ન જીવન દરમિયાન શારીરિક તેમજ માનસિક દુ:ખ-ત્રાસ આપી અને નાની-નાની વાતે ઝઘડો કરી, માર માર્યાની ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement