એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવતા મોત
12:14 PM Aug 05, 2024 IST | Bhumika
Advertisement
જામનગરમાં શરુ સેક્શન રોડ ઉપર થી બાઈક પર જઈ રહેલા એક યુવકને ચાલુ બાઈકમાં હૃદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેને બેશુદ્ધ અવસ્થામાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
જામનગરમાં ગઈકાલે શરૂૂ સેક્શન રોડ પરથી બાઇકમાં જઈ રહેલા અનીલ કિશોરભાઈ પાણખાણીયા નામના યુવકને ચાલુ બાઈકે હાર્ટએટેક આવતાં ત્યાજ ઢળી પડ્યો હતો.
Advertisement
દરમિયાન બાજુમાંથી પસાર થતા આશિફ નામના યુવાને મદદે દોડી જઇ 108 ની ટિમ ને જાણ કરી હતી. જે ટુકડી આવી પહોંચ્યા પછી યુવકને બેશુદ્ધ હાલત માં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને તેનું હાર્ટ ફેઇલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.
Advertisement