રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાપા રેલવે સ્ટેશને ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાનનો આપઘાત, ઘટના સ્થળે મોત

12:14 PM Aug 21, 2024 IST | admin
Advertisement

આત્મહત્યાના રહસ્યમય બનાવનું કારણ અકબંધ, પોલીસે તપાસ હાથ ધરી

Advertisement

જામનગરના હાપા રેલવે સ્ટેશન પર ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યે મુઝફ્ફરપુર થી પોરબંદર જઈ રહેલી ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી. આ સમયે અચાનક જ એક યુવાન દોડી ને પાટા પર આવી ગયો હતો અને તેણે ટ્રેન હેઠળ ઝંપલાવ્યું હતું. જેમાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નું નામ કૈલાશ સોમાભાઈ સોલંકી (22) અને શહેર જામનગરના નવાગામ( ઘેડ) નાં નઘેરવાસ માં રહેતો હોવાનું ખુંલવા પામ્યું હતું. આ યુવાને શા માટે આત્મહત્યા કરી તે અંગે રેલ્વે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. મૃતક યુવાનના પરિવારજનો અને મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે, કૈલાશ હંમેશા ખુશખુશાલ અને મિલનસાર સ્વભાવનો હતો. તેને કોઈ જાતની કોઈ મુશ્કેલી કે તકલીફ ન હતી. પરંતુ, તેણે આ આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે કોઈને કંઈ ખબર નથી. પોલીસે મૃતકના મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો કબજે કરીને તપાસ શરૂૂ કરી છે. સાથે જ, તેઓ મૃતકના પરિવારજનો અને મિત્રો સાથે પણ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર જામનગર શહેરમાં શોકનું મોજું ફેલાવી દીધું છે. પરિવારજનો આ યુવાનના આ અણધાર્યા મૃત્યુથી દુ:ખી છે અને તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Tags :
deathgujaratgujarat newsjamnagarrailwaystation
Advertisement
Next Article
Advertisement