ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

11:58 AM Jan 29, 2025 IST | Bhumika
Advertisement

પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું

Advertisement

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે જયેશ કરસનભાઈ આરઠીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. જે. જાડેજા એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન ક્યારેક ક્યારેક દારૂૂ પીવાની ટેવ ધરાવતો હતો. જે દારૂૂ પીવાની ટેવને છોડી દેવા માટે પત્ની જણાવતી હોવાથી તેનું મનમાં લાગી આવ્યું હતું, અને તેના કારણે ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar newsSUISIDEsuiside news
Advertisement
Next Article
Advertisement