ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માધાપર ચોકડી પાસે યુવકનો ગૃહકલેશથી આપઘાતનો પ્રયાસ

04:32 PM May 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

અરડોઇમાં પત્ની સાથે ઝઘડો થતા પતિએ વખ ધોળ્યું

Advertisement

શહેરમા માધાપર ચોકડી પાસે રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે રહેતા યશ નીતિનભાઈ પુજારા નામનો 29 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ગૃહકલેશથી કંટાળી જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં અરડોઈ ગામે રહેતા રમેશ જયંતીભાઈ વસાવા નામનો 35 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે પત્ની સાથે રકઝક થતા તેને માઠું લાગી આવ્યું હતું. આવેશમાં આવેલા યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Advertisement