ઉંચી માંડલમાં કારખાનાના પતરાં બદલતા ગબડી પડેલા શ્રમિકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત
06:11 PM Feb 06, 2024 IST | Bhumika
મોરબીમાં રહેતા અને ઉંચી માંડલ ખાતા એક સીરામીક ફેક્ટરી ઉપર પતરા બદલતા શ્રમિક યુવાન ગબડી પડવાથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંધાયું છે
બનાવની મળતી વિગતો મુજબ રામસુરત રાજકુમાર નામનો 31 વર્ષનો મૂળ ઉત્તર પ્રદેશનો હાલ એકોર્ડ પ્લસ સીરામીક ઉચી માંડલ ગામ હળવદ રોડ મોરબી રહેતો યુવાન ગઈકાલે સિરામિક ફેક્ટરી ઉપર પતરા બદલવાની કામગીરી કરી રહ્યો હતો ત્યારે અકસ્માતે ગબડી પડતા તેમને ગંભીર હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ 25 ફૂટ ઊંચેથી પડેલ રામ સુરતને માથામાં ગંભીર ઈજા થઈ હોય તબીબો તેમને બચાવી શક્યા ન હતા.
યુનિવર્સિટી પોલીસે જરૂૂરી કાગળો કરીને મૃતકની પીએમ વિધિ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Advertisement
Advertisement