સબમર્સિબલ સ્પેરપાર્ટના કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી કરેલો આપઘાત
મવડીમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો: પરિવારમાં શોક છવાયો
શહેરના મવડીમાં 80 ફૂટ રોડ ઉપર મંત્રી કોમ્પલેક્ષમાં રહેતા કારખાનેદારે આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.યુવાનના આપઘાતને પગલે પરિવારમાં અરેરાટી મચી ગઈ છે તેમના પુત્ર્ે પિતાની છત્રછાંયા ગુમાવી છે.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મવડીની 80 ફૂટ રોડ પર મંત્રી કોમ્પલેક્ષ એફ-301માં રહેતા રાજેશભાઈ પરજીભાઈ ત્રાડા (પટેલ) (ઉ.વ.44)એ આજે પોતાના ઘરે પંખામાં કોઈ કપડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
તેઓને સંતાનમાં એક દિકરો છે. પોતે બે ભાઈમાં મોટા હતાં.તેઓ ગોકુલધામમાં સબમર્શિબલના સ્પેરપાર્ટસનુ કારખાનું ધરાવતા હતા તેઓએ આર્થિકભીંસથી કંટાળી આ પગલું ભરી લીધું હતું. રાજેશના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાગળો કર્યા હતાં.બીજા બનાવમાં કોઠારિયા ગામે રહેતા શાંતાબેન ભાંભોર નામના પરિણીતાએ તેમના ઘર પાછળ લીમડાના વૃક્ષ સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે તેમના પતિએ જણાવ્યું હતું કે, પત્ની પાસેથી એક યુવાનનો ફોટો મળી આવતા જે અંગે મૃતકના ભાઈને વાત કરતા તેઓએ આ પગલું ભરી લીધું હતું. તેમના મૃત્યુથી પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.