રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શિવાલયોમાં રાતથી ભાવિકોનો અવિરત ધસારો

04:54 PM Feb 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રામનાથ-પંચનાથ-જાગનાથ- ધારેશ્ર્વર સહિતના મંદિરોમાં ગુંજ્યો હર હર મહાદેવનો નાદ

Advertisement

મહાશિવરાત્રીના પાવન અવસરની દિવ્ય ઉજવણી થઈ રહી છે. ચોતરફ હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. પૌરાણિક રામનાથ મંદિરને નયનરમ્ય લાઈટિંગ અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અનેક લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર સમાન રામનાથ મંદિરે ગત રાત્રીથી જ ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. જે આજે મધરાત સુધી અવિરત ચાલુ રહેશે. શહેરના પૌરાણિક શિવ મંદિરો પંચનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર સહિતના શિવમંદિરોએ પણ વહેલી સવારથી ભાવિકો ઊમટી રહ્યા છે. ભાંગ અને ફરાળ પ્રસાદનું પણ ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ભોળાનાથની વિવિધ પહોરની આરતીમાં શ્રધ્ધાભેર લોકો જોડાય રહ્યા છે.

Tags :
gujaratgujarat newsMahashivratriMahashivratri 2025rajkotrajkot news
Advertisement
Advertisement