રાજકોટથી ભાવનગર માટે કાલે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન
ટ્રેનના તમામ કોચ અન રિઝર્વ્ડ રહેશે
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 13 જુલાઈ, 2024ના રોજ રાજકોટ-ભાવનગર અને ભાવનગર-રાજકોટ વચ્ચે સ્પેશિયલ ટ્રેન (અનરિજર્વ્ડ)ની એક-એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે. જેની વિગતો નીચે મુજબ છે
ટ્રેન નંબર 09591 રાજકોટ-ભાવનગર સ્પેશિયલ રાજકોટથી 13.07.2024ના રોજ સવારે 4.30 કલાકે ઉપડશે અને સવારે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09592 ભાવનગર-રાજકોટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી 13.07.2024ના રોજ રાત્રે 18.00 કલાકે ઉપડશે અને તે જ રાત્રે 3.00 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુંડીહાર, લાઠી, ધાસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ હશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ટ્રેનો માત્ર એક દિવસ માટે દોડાવવાની છે.