સરપદડમાં રાજકોટના નિવૃત્ત શિક્ષકનું હાર્ટએટેકથી મોત
04:19 PM Mar 06, 2024 IST
|
Bhumika
Advertisement
કુવાડવા રોડ પર મધુવન પાર્કમાં રહેતા નિવૃત શિક્ષક આજે સવારે સરપદડ પોતાની વાડીએ આંટો મારવા ગયા ત્યારે અચાનક હાર્ટએટેક આવતા તેમને સારવારમાં લઇ જવામાં આવતાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા.
Advertisement
વધુ વિગતો અનુસાર, મધુવન પાર્કમાં રહેતા કેશવજી ગાંડુભાઇ લુણાગરીયા (પટેલ) (ઉ.વ.64) નામના વૃદ્ધ આજે સવારે તેમની પડધરીના સરપદડમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે બેભાન થઇ જતાં તેમને ત્યાંના લોકોએ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. કેશવજીભાઇને સંતાનમાં બે દીકરા છે અને તેઓ ત્રણ ભાઇ બે બહેનમાં નાના હતા તેમજ તેઓ લૈયારા નામે આવેલી શાળામા શિક્ષકની નોકરી કર્યા બાદ નિવૃત જીવન ગળતા હતાં. આજે તેમને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડ્યો હતો.
Next Article
Advertisement