For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિદ્યાનગરમાં નેપાળી યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

03:59 PM Aug 14, 2024 IST | Bhumika
વિદ્યાનગરમાં નેપાળી યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ
oplus_2097184

શહેરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં વિધાનગર વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા શની રંગબહાદુર વિશ્વકર્મા નામનો 18 વર્ષનો નેપાળી યુવાન પોતાના ઘરે હતો. ત્યારે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. શની વિશ્વકર્મા તેના પિતાના ગેરેજમાં કામ કરે છે. ભાભી દશામાના વ્રત કરે છે ત્યાં આરતી કરીને આવ્યા બાદ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં દોઢ સો ફૂટ રીંગ રોડ ઉપર રામાપીર ચોકડી પાસે ધરમનગરમાં રહેતી શીતલબેન દિલીપભાઈ રાઠોડ નામની 26 વર્ષની પરિણીતાએ ખટારા સ્ટેન્ડ પાસે ટ્રાફિક ઓફિસ પાસે કોઈ અગમ્ય કારણસર ફીનાઇલ પી લીધું હતું. પરિણીતાને ટ્રાફિક જવાન દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement