ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે લટકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત

04:50 PM Jun 03, 2025 IST | Bhumika
Advertisement

શહેરની ભાગોળે કોઠારીયા વિસ્તારમાં આવેલા લાપાસરી રોડ પર રહેતાં પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ઘર નજીક આવેલા બાવળના ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ પરિવાર સાથે લાપાસરી રોડ પર ખોડીયાર ગૌશાળા પાસે રહેતો ગુડ્ડુ ઘુમાભાઈ ભુરીયા (ઉ.40) નામના યુવાને ગતરાત્રે ઘરેથી નીકળી ગયા બાદ રાત્રિના કોઈપણ સમયે ઘર નજીક લાપાસરી રોડ પર બાવળના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારજનો અને આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઈમાં વચેટ અને કડિયા કામ કરતો હોવાનું તથા તેને સંતાનમાં બે પુત્ર ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પાચ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement