ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મિત્રને મળવા જતાં આધેડને રસ્તામાં જ કાળ ભેટ્યો

04:44 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement

શાપરથી રાજકોટ આવતી વખતે બાઈક સ્લિપ થતાં સર્જાયો જીવલેણ અકસ્માત

Advertisement

શાપરમાં રહેતા આધેડ રાજકોટમાં મિત્રને મળવા આવતા હતા ત્યારે ગોંડલ ચોકડી નજીક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ બિહારના વતની અને હાલ શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ નરેશભાઈ રાય નામના 50 વર્ષના આધેડ બે દિવસ પૂર્વે સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ રાજકોટમાં કાનાભાઈના મફતીયાપરામાં રહેતા મિત્રના ઘરે આવતા હતા ત્યારે ગોંડલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં આધેડનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિનોદભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
accidentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement