રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવનગરમાં માનસિક બીમારીથી કંટાળી આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

05:41 PM Jul 13, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરના નાના મવા મેઈન રોડ પર આવેલા દેવનગરમાં માનસિક બીમારીથી કંટાળી આધેડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.જાણવા મળતી વિગત મુજબ નાના મવા મેઈન રોડ પર આવેલા દેવનગર શેરી નંબર-1માં રહેતા જીતેન્દ્રભાઈ મંગલભાઈ રાઠોડ (ઉં.વ.45) નામના આધેડે આજે બપોરે પોતાના ઘરે પંખામાં ચુંદળી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક જીતેન્દ્રભાઈની પુત્રી મિરલ કોલેજમાં અભ્યાસ કરતી હોય જે બપોરે કોલેજેથી ઘરે આવી ત્યારે પિતાનો લટકતો મૃતદેહ જોઈ હતપ્રભ બની ગઈ હતી.

બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક જીતેન્દ્રભાઈ બે ભાઈ બે બહેનમાં મોટા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ માનસિક બીમારીથી કંટાળી આ પગલું કરી લીધાનું ખોલવા પામ્યું છે. આ બનાવતી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement