જલારામ-2માં આધેડનું હદયરોગના હુમલાથી મોત
નીલકંઠ પાર્કમાં બે માસની બાળા અને નાગેશ્ર્વરમાં વૃદ્ધાનું બેભાન હાલતમાં મોત
શહેરમાં શિવસંગમ સોસાયટી પાસે આપેલ જલારામ-2માં રહેતા આધેડનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
શિવસંગમ સોસાયટી પાસે આવેલ જલારામ-2માં રહેતા નવનીતભાઈ ગોપાલભાઈ આસર નામના 54 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે તેમને અચાનક હદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયોહતો. આ ઉપરાંત અન્ય બનાવમાં કોઠારિયા રોડ ઉપર નિલકંઠ પાર્કમાં રહેતા પરિવારની રાહાબેન મુનાફભાઈ હેમનાણી નામની બે માસની માસુમ બાળકીને મોઢા અને કાનમાંથી લોહી નિકળતા બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. જ્યારે મુળ સાયલાના સુદામડા ગામના વતનીને હાલ દોશઈ હોસ્પિટલ પાસે નાગેશ્ર્વર એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઈ વાડીલાલભાઈ રેણુકા ઉ.વ.61નું બેભાન હાલતમાં મોત નિપજ્યું હતું. મૃતક રમેશભાઈ રેણુકા ગામડેથી પોતાના ફ્લેટે આટો મારવા આવ્યાબાદ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.