ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાજડીમાં પરિણીતાએ ગળે ફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો

04:46 PM Feb 12, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

વ્રજવાટિકામાં બીમારીથી કંટાળી ઝેરી પાઊડર પી લેનાર વૃદ્ધાએ દમ તોડયો

શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામે રહેતી પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાજડી ગામે રહેતી હીનાબેન ભીમાભાઇ સોલંકી નામની રપ વર્ષની પરણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

બીજા બનાવમા યુનિવર્સિટી રોડ પર વ્રજ વાટીકા એપાર્ટમેન્ટમા રહેતા ગીતાબેન દિપકભાઇ ચાંગેલા (ઉ.વ. 6ર) એ બીમારીથી કંટાળી પોતાના ઘરે હતા ત્યારે ઝેરી પાવડર પી લીધો હતો. વૃધ્ધાનુ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement