ચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત
12:47 PM Jul 09, 2025 IST
|
Bhumika
Advertisement
મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
Advertisement
ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમનું સારવારમાં મોત નીપજ્યું હતું.તેમના લગ્નને એક વર્ષ થયાં હતાં અને તેમનું માવતર ચોટીલાના મોલડીમાં આવ્યું છે.તે એક ભાઈ અને બે બહેનમાં મોટી અને પતિ ખેતીકામ કરે છે. જ્યારે બીજી ઘટનામાં ચોટીલાના તંબોડા ગામે રહેતા વાલજીભાઈ ભીમાભાઇ રાઘવાણી નામના 45 વર્ષના આધેડ આજે પોતાના વાડીએ પાણીની મોટરમાં છેડા આપતા હતા ત્યારે શોટ લાગતા તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
Next Article
Advertisement