દ્વારકાના ગોમતીઘાટે હજારો દીપ પ્રાગટ્ય સાથે મહાઆરતી યોજાઇ
01:09 PM Feb 22, 2024 IST
|
Bhumika
Advertisement
આગામી તા. 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજરોજ ગોમતી ઘાટ ખાતે મહાઆરતીમાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ મહા આરતીમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505, જિલ્લા સંગઠનના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓએ જોડાઈ ધન્યતા અનુભવી હતી. (તસવીર: અશોક ભાતેલિયા)
Advertisement
Next Article
Advertisement