લતીપર ગામે શ્રમિક યુવાનનું વીજઆંચકાથી મોત
12:14 PM Aug 01, 2024 IST | admin
ફ્રીજનો વાયર બંધ કરવા જતાં આંચકો લાગ્યો, બેશુધ્ધ હાલતમાં સારવાર દરમિયાન મૃત્યુ
Advertisement
મૂળ રાજસ્થાન અને હાલ ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહીને મજૂરી કામ કરતો સુનિલ હંસરાજભાઈ જાટ નામનો 20 વર્ષ નો યુવાન પોતાના ઘરના ફળીયામાં છોટાહાથી ઊભુ રાખેલું હતું, જેમાં રેફ્રિજરેટર મુકેલું હતું, જેનો ઇલેક્ટ્રીક વાયર બંધ કરવા જતાં વાયર તૂટેલો હોવાથી તેને વીજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બન્યો હતો. જેને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે વિકાસ રામલાલ જાટ એ પોલીસ ને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement