રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધ્રોલના સુમરા ગામે વીજળી પડતા શ્રમિક દંપતીનું મોત

04:45 PM Jul 19, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે વીજળીએ શ્રમીક દંપતીના ભોગ લીધા છે. ખેત મજૂરી કામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિક દંપત્તિ પર વીજળી પડતાં બંનેના મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના સુમરા ગામમાં રહેતા ખેડૂત જયેશભાઈ સવજીભાઈ ઉમરેટીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક દંપત્તિ રમાબેન મગનભાઈ ભુરીયા (38વર્ષ) અને મગનભાઈ ભુરીયા (40) કે જેઓ સાંજે 7.00 વાગ્યા બાદ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક વરસાદી વીજળી પડતાં પરપ્રાંતિય શ્રમિક દંપત્તિનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ. આ બનાવની જાણ થતાં ધ્રોલ મામલતદાર ની ટીમ તથા ધ્રોલની પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરવામાં આવી છે.

Tags :
DhrolDhrol newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement