ખંભાળિયાના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી
11:00 AM Mar 11, 2024 IST | Bhumika
ખંભાળિયાના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા હિરેનભાઈ રામાવત નામના એક આસામીના રહેણાંક મકાનના રસોડામાં સવારના સમયે એકાએક આગ ભભુકી હોવાની જાણ અહીંના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને અહીંના જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના મનસુખભાઈ મારુ, નરેશભાઈ ધ્રાંગુ તથા સંજયભાઈ ભાટુ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.હીટરમાં ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
Advertisement
Advertisement