રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવાગામ ઘેડ મધુરમ રેસિડેન્સીમાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ

11:55 AM Jul 30, 2024 IST | admin
Advertisement

ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો: રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

Advertisement

જામનગરમાં નવાગામ ઘેડ- મધુરમ રેસીડેન્સીમાં આવેલા મહેશભાઈ પરમાર નામના વ્યક્તિના બંધ રહેણાંક મકાનમાં આજે બપોરે 12.15 વાગ્યાના અરસામાં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. રેફ્રિજરેટરમાં સ્પાર્ક થવાથી આગ લાગવાથી ઘર વખરી ખાખ થઈ હતી.

આગના સમયે મકાન માલિક પોતે ખાનગી કંપનીમાં નોકરી પર ગયા હતા, અને તેમના પત્ની પણ તાળું મારીને બહાર ગયા હતા, દરમિયાન આગનો બનાવ બનતાં આડોશી પાડોશી એ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી મકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ મેળવ્યો હતો, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જે દરમિયાન ફ્રીજઝ ટીવી, ફર્નિચર, ગાદલા, અનાજ-કરિયાણું વગેરે બળીને ખાખ થયા હતા. આગના આ બનાવને લઈને આડોશી પાડોશીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagarnewsresidencyshortcerkit
Advertisement
Next Article
Advertisement