For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના વાડામાં ભીષણ આગ

12:14 PM Mar 23, 2024 IST | Bhumika
જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના વાડામાં ભીષણ આગ
  • ફાયર બ્રિગેડની ટુકડીએ સતત બે કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના એક વાડામાં વહેલી સવારે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટુકડીએ પાણીના ત્રણ ટેન્કરની મદદથી ભારે જહમત બાદ આગને કાબુમા લીધી હતી. આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં શેરી નંબર બે ના ઢાળીયા પાસે મયુરભાઈ કિશનભાઇ પરમાર તેમજ ધર્મેન્દ્રભાઈ વાઘેલા નામના બે પાર્ટનર ની માલિકીનો ભંગારનો વાડો આવેલો છેઝ જેમાં વહેલી સવારે 6.00 વાગ્યા આસપાસ અકસ્માતે શોર્ટસર્કિટ થવાના કારણે આગ લાગી હતી.

Advertisement

ભંગારના વાડામાં પ્લાસ્ટિક, પુઠ્ઠા, કાગળ વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું.જે બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગ ની ટુકડી જુદા જુદા ફાયર ફાઈટર સાથે દોડી ગઈ હતી, અને પાણીના ત્રણ ટેન્કરની મદદથી સતત બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી, જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement